તહોમતનામુ તૈયાર ન કરવા અથવા તેમા કોઇ તહોમત ન હોવા અથવા તેમા ભુલ હોવાથી થતી અસર - કલમ:૪૬૪

તહોમતનામુ તૈયાર ન કરવા અથવા તેમા કોઇ તહોમત ન હોવા અથવા તેમા ભુલ હોવાથી થતી અસર

(૧) કાયદેસર હકુમત ધરાવતી કોટૅ કરેલો નિણૅય સજા કે હુકમ તહોમતનામુ તૈયાર કરવામાં આવ્યુ ન હતુ તે કારણ તહોમતના ગેરજોડાણ સહિત તે તહોમતનામાની કોઇ ભુલચુક કે અનિયમસરતાને કારણે અપીલ કોટૅ બહાલ રાખનાર કોટૅ કે ફેર તપાસ કરનાર કોટૅના અભિપ્રાય મુજબ ખરેખર ન્યાયનો હેતુ સૌ ન હોવાનુ ન જણાય તો તેટલા જ કારણે તે અમાન્ય ગણાશે નહી (૨) અપીલ કોટૅ બહાલ રાખનારી કોટૅ અથવા ફેર તપાસ કરનાર કોટૅનો અભિપ્રાય એવો થાય કે ખરેખર ન્યાયનો હેતુ સૌ નથી તો કોટૅ નીચે પ્રમાણે કરી શકશે

(ક) તહોમતનામુ કરવામાં આવેલ ન હોય ત્યારે એવો હુકમ કરી શકશે કે તહોમતનામુ તૈયાર કરવુ અને તહોમતનામુ તૈયાર કરવાના તબકકા પછીના તરતના તબકકેથી ઇન્સાફી કાયૅવાહી ફરીથી શરૂ કરવી

(ખ) તહોમતનામામાં ભુલચુક કે અનિયમસરતા થયેલ હોય ત્યારે પોતે યોગ્ય ગણે તેવી કોઇ પણ રીતે તૈયાર કરેલા તહોમતનામા ઉપર નવેસરથી ઇન્સાફી કાયૅવાહી કરવાનો આદેશ આપી શકશે

પરંતુ કોટૅને અભિપ્રાય એવો થાય કે કેસની હકીકત એવી છે કે સાબિત થયેલી હકીકતોના સબંધમાં આરોપી સામે કોઇ કાયદેસર તહોમત મુકી શકાય તેમ નથી તો તેણે ગુના સાબિતી રદ કરવી જોઇશે